બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.
એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.
કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.
પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી,
પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.
આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.
એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.
કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.
પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી,
પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.
આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.
-કિરણ ચૌહાણ
No comments:
Post a Comment