ઝંખના સહુ કરે છે સરવરની
ક્યાં તમા કોઈને છે જળચરની.
રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની.
ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
એટલી ફળશ્રુતિ છે અવસરની.
દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની.
જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
-ઉર્વીશ વસાવડા
No comments:
Post a Comment